સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન અને ડીએલઆર કચેરીની કામગીરીના મુદ્દે ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ૨૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ આંબેડકર ચોક, રાજ હોટલ પાસેથી નીકળશે.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ જણાવાયું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ પરંતુ ભાજપ સરકાર દ્વારા મોટાભાગના ગામોમાં ખેડૂતોને પાક નિષ્ફળતાની સહાયતા વળતર નહી ચુકવી ભેદભાવ કરેલ તદ્દઉપરાંત ડી.એલ.આર.ની કચેરીમાં (જમીન માપણીની કચેરી) માં વર્ષોથી ખેડૂતો પોતાના ખેતરની માપણી અંગે નકશાઓ મેળવવા તેમજ હદ નિશાન નક્કિ કરાવવા માટે ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ ડી.એલ.આર. કચેરીમાં તેમને સાંભળનાર કોઇ નથી. ડી.એલ.આર. કચેરીના કર્મચારીઓ પોતાની જાતને રાજા-મહારાજાઓ સમજી કોઇને પણ જવાબ આપતા નથી.
તેમજ મુખ્ય અધિકારી અઠવાડીયામાં ભુલેચુકે એકાદ દિવસ ૨-૩ કલાક માટે આવી સુરેન્દ્રનગરની જનતા ઉપર મહેરબાની કરે છે. ખેડૂતોના આવા પડતર પ્રશ્નો માટે ખેડૂતો આત્મવિલોપન કરવા સુધીના પગલા લેવા માટે મજબુર બની રહ્યા છે.
આથી આ બન્ને મુદ્દે આગામી તા. ૨૧-૦૪-૨૦૨૫, સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરેન્દ્રનગરના આંબેડકર ચોક, રાજ હોટલની પાસેથી ખેડૂત મહારેલીનુ આયોજન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાઓમાંથી જે કોઇ ખેડૂત મીત્રોને કે અન્ય લોકોને માપણી કે પાક નિષ્ફળતા વળતર અંગેની સમસ્યાઓ હોય તે તમામ ખેડૂતોને આ રેલીમાં જોડાવવા વિનંતી કરવામાં આવી છે. જો લડીશુ નહી તો આ સરકારમાં કોઇને ન્યાય મળશે નહી. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, જો સંઘર્ષ નહીં કરીએ તો સરકાર પાસેથી ન્યાય મેળવી શકાશે નહીં. તેમણે તમામ ખેડૂતોને રેલીમાં જોડાવા આગ્રહભરી વિનંતી કરી છે.