સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ટૂ-વ્હલર્સ મિકેનીક વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં નાગરીકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તેમજ નાગરીકો દ્વારા જાહેરમાં ગંદકી ન કરવામાં આવે તે હેતુસર "સ્વચ્છતા બાઇક રેલી"નું આયોજન એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુધી કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીના માધ્યમથી સ્વચ્છ ભારત યોજનાના ભાગ રુપે સુરેન્દ્રનગર મહાનગરને સ્વચ્છ બનાવીને ગુજરાત અને ભારતને સ્વચ્છ બનાવામાં સહભાગી થવા માટે અપિલ કરવામાં આવી હતી.બાઇક રેલીમાં ભાગ લીધેલા ટૂ-વ્હીલર્સ મિકેનીકલ સોસાયટીને સંબોધન કરતા મહાનગરપાલિકાને સંબોધન કરતા મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વહાણે સાહેબે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરને સુંદરને સ્વચ્છ બનાવા માટે જે રીતે સામાજીક સંસ્થાઓ અને આગેવાનો આગળ આવી રહ્યા છે. તે ખૂબ જ સરહાનિય બાબત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટૂ-વ્હીકર્સ એસોશિએશન "મારો કચરો મારી જવાબદારી"ની ભાવનાથી શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધે છે. અમે તે બાબતને આવકારીએ છીએ.સુરેન્દ્રનગર મહાનગરપાલિકા "મારો કચરો મારી જવાબદારી" ના સ્લૉગન સાથે કામ કરે છે. તેના ભાગ રૂપે શહેરની વિવિધ સેવાભાવી સંસ્થા સાથે મળીને સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર માટે સતત પ્રયત્નશીલ રહીને તેમજ નગરજનોમાં સ્વચ્છતા બાબતે બિહેવ્યર ચેન્જ લાવી જેના લીધે આપણું સુરેન્દ્રનગર સ્વચ્છ અને સુંદર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આ બાઇક રેલીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વહાણે સાહેબ, નાયબ કમિશનર અર્જુન ચાવડા સાહેબ, નાયબ કમિશનર એસ.કે. કટારા સાહેબ તેમજ તમામ શાખાના અધિકારીશ્રી, કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.