સુરેન્દ્રનગર મહાનગરમાં પોષણ પખવાડિયાના ભાગ રૂપે 0 થી 5 વર્ષના બાળકો, ધાત્રી માતા, સગર્ભા માતાની તપાસ કરવામાં આવી

0
બાળકના જન્મ બાદના પ્રથમ 1000 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. જેમાં બાળકના માનસિક અને શારીરિક વિકાસનો પાયો હોય છે. રાજ્યના બાળકોને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ પખવાડિયું 2025 ની 7મી આવૃતિનું આયોજન તારીખ :૧૭ /૦૪/૨૦૨૫ બુધવારે કરવામાં આવ્યુ છે.
જેના ભાગ રૂપે બાળકના સર્વાંગી વિકાસ માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા પોષણ પખવાડીયા ૨૦૨૫ અન્વયે સરકારશ્રીની સુચના મુજબ તા.૧૭/૦૪/૨૦૨૫ના રોજ કિશોરીઓની પવ ટેસ્ટ, સગર્ભા માતા, ધાત્રી માતા તથા ૦ થી ૫ વર્ષના બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ અંગેનો કાર્યક્રમ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પોપટપરામાં રાખવામાં આવેલ હતો.
જેમાં કુલ- ૬૧ લાભાર્થીઓની આરોગ્ય તપાસ અને આરોગ્ય પોષણ શિક્ષણ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન યુ.સી.ડી. વિભાગ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ICDS વિભાગ અને હેલ્થ વિભાગ સાથે સંકલન કરીને કરવામાં આવેલ હતું.
પોષણ અભિયાન અંતર્ગત બાળકના પ્રથમ “1000 દિવસ" પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે, આ દિવસો બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે અંત્યત મહત્વપૂર્ણ હોય છે. પોષણ પખવાડીયા દરમિયાન માતાના પોષણ, યોગ્ય સ્તનપાનની પદ્ધતિ, બાળ વિકાસ અને એનિમિયા અટકાવ માટે સંતુલિત આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. પોષણ પખવાડીયું 2025 7 મી આવૃતિ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top