પોલીસ રિપોર્ટ બાદ: સુરેન્દ્રનગર મામલતદારની મોટી કાર્યવાહી, રિવરફ્રન્ટની ચાર ગેરકાયદેસર દુકાનો તોડી પાડી

0
સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યા બાદ સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું
સુરેન્દ્રનગર: શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્ર દ્વારા ગુના અને ગુનેગારો અંગેનો એક રિપોર્ટ સુરેન્દ્રનગર મામલતદાર કચેરીને મોકલવામાં આવ્યો હતો. આથી રિપોર્ટના આધારે રિવરફ્રન્ટ પર આવેલ સીટી સર્વેની હદમાં આવતી ચાર દુકાનોના જવાબદારોને નોટિસ પાઠવવામાં આવી હતી.
મયુરભાઈ દવે (સીટી મામલતદાર)...
 
તેઓને સાત દિવસની અંદર બાંધકામના પુરાવા રજૂ કરવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે, નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં દુકાનદારો તંત્ર સમક્ષ કોઈ માન્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા. 
આથી સીટી સર્વેના આખરી રિપોર્ટને ધ્યાનમાં લઈને મંગળવારે સીટી સર્વે અને સુરેન્દ્રનગરના મામલતદાર મયુર દવેની સંયુક્ત ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રિવરફ્રન્ટ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ચારેય દુકાનોને તોડી પાડવામાં આવી હતી.
મામલતદારની ટીમ દ્વારા એક સાથે ચાર દુકાનોના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની આ કાર્યવાહીથી શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.!
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top