સુરેન્દ્રનગર શારદા સ્કૂલ ઓફ નર્સિંગ અને નીલકંઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના સંયુક્ત ઉપક્રમે સી.યુ. શાહ મેડિકલ હોલ વઢવાણ ખાતે તાજેતરમાં નર્સિંગના વિધાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. યોજાયેલ સમારોહમાં સ્થાનિક આગેવાન જીતેન્દ્રસિંહ ચાવડા, વિક્રમભાઈ દવે, અને જોરાનગર ની મેટરનીટી હોસ્પિટલના ડોક્ટર સરજુ સંઘવી તેમજ સ્થાનિક આગેવાનો નું શાલ ઓઢાડી મોમેન્ટો આપીને ઉચિત સન્માન કરાયું હતું. અને આ સમારોહમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.