પડતર પ્રશ્નોને લઈને સુરેન્દ્રનગરના ખેડૂતોનો વિરોધ પ્રદર્શન, સરકારને ઉગ્ર આંદોલનની ચેતવણી-કોંગ્રેસની આગેવાનીમાં સુરેન્દ્રનગરમાં ખેડૂતોની રેલી, ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને બેનર સળગાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૧ એપ્રિલ-૨૦૨૫ને સોમવારના રોજ કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને રેલી યોજાઈ હતી. જે રાજ હોટલથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પાકને થયેલું નુકસાન, જમીન સંપાદનમાં યોગ્ય માપણીનો અભાવ અને નર્મદા કેનાલના લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓ અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. રેલીમાં ખેડૂતોએ ડીઇએલઆર કચેરી દ્વારા જમીન સંપાદન મામલે યોગ્ય પ્રતિસાદ ન મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.(કોંગ્રેસના નેતા પ્રગતિ આહિરે કહ્યું કે )
આ રેલીમાં કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહીર, જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. જયારે આ રેલી દ્વારા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ખેડૂતોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. (નેતા નૌશાદ સોલંકીએ કહ્યું કે )
ત્યારે પોતાનો વિરોધ દર્શાવવા માટે ખેડૂતોએ રામધૂનનું પણ આયોજન કર્યું હતું. ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.