ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ સહિત મહત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લાલ ચોખા
જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન પણ કરી રહ્યા છે. જેથી ખેડૂતો હવે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળી દેશી ગાય આધારિત ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
હવે પોષક તત્વોના ખજાના સમાન લાલ ચોખાની ફાયદાકારક ખેતી ખેડૂતો માટે નફાકારક બની રહી છે. લાલ રંગના દાણા ધરાવતા આ ચોખા એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક બનાવે છે. લાલ ચોખા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ પર્યાવરણ માટે પણ ઉપયોગી છે. લાલ ચોખાની ખેતી કરવા માટે ઓછા પાણી અને ઓછા ખાતરની જરૂર પડે છે, જે તેને પર્યાવરણ માટે પણ અનુકૂળ બનાવે છે.
ભારતીય ભોજન ભાત(Rice) વિના અધૂરું માનવામાં આવે છે. ભારતમાં તો કેટલાક રાજ્યોમાં ભાત એ લોકોનું મુખ્ય ભોજન છે. ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, સફેદ અને બ્રાઉન રાઈસના પોતાના ફાયદા છે. લોકોમાં પણ સવાલ છે કે શું વ્હાઈટ રાઈસ શરીર માટે ફાયદાકારક છે