સૂર્ય ઉપાસના પર્વ: કાઠી ક્ષત્રિયોએ સાડા ત્રણ દિવસના ઉપવાસ સાથે પરંપરા જાળવી

0
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકના નવા સૂરજદેવળ અને થાનગઢ પાસેના જૂના સૂરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ સૂર્ય ઉપાસના પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વૈશાખ સુદ ૧ થી ૪ સુધી ચાલનારા આ પર્વ દરમિયાન ઉપાસકોએ સાડા ત્રણ દિવસ સુધી મંદિરમાં અને ઘરે રહીને સૂર્ય ઉપવાસ કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન મંદિરોમાં યજ્ઞ અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો. ઉપવાસ પર્વને ધ્યાનમાં રાખીને સૂર્ય મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. નવા સૂરજદેવળ મંદિર ખાતે સૂર્યનારાયણ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે અંદાજે 200થી વધુ અશ્વારોહીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
સૌરાષ્ટ્રમાં વસતા કાઠી દરબારો આ રીતે દર વર્ષે સૂર્ય ઉપાસના પર્વની ઉજવણી કરીને પોતાની પ્રાચીન પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આ પર્વ કાઠી સમાજ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે, જે સમાજના લોકોને એકસાથે લાવે છે અને પરંપરાઓનું જતન કરે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top