સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકના નવા સૂરજદેવળ અને થાનગઢ પાસેના જૂના સૂરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ સૂર્ય ઉપાસના પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વૈશાખ સુદ ૧ થી ૪ સુધી ચાલનારા આ પર્વ દરમિયાન ઉપાસકોએ સાડા ત્રણ દિવસ સુધી મંદિરમાં અને ઘરે રહીને સૂર્ય ઉપવાસ કર્યા હતા.આ સમયગાળા દરમિયાન મંદિરોમાં યજ્ઞ અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો. ઉપવાસ પર્વને ધ્યાનમાં રાખીને સૂર્ય મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. નવા સૂરજદેવળ મંદિર ખાતે સૂર્યનારાયણ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે અંદાજે 200થી વધુ અશ્વારોહીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.