સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સતત દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના જામવાડી અને ભાડુલા વિસ્તારમાં આ ચોકી શરૂ થવાથી ચોરીના બનાવોમાં ચોક્કસ ઘટાડો થશે. કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા લેવાયેલો આ નિર્ણયથી મહેસુલી ચોકી પર તંત્રના અધિકારીઓની હાજરીથી ગેરકાયદેસર ખનન કરનારાઓ પર લગામ લાગશે. મામલતદાર સહિતના અધિકારીઓ ત્યાં હાજર રહેશે એટલે હવે ખનિજ ચોરોની ખેર નહીં રહે તેવી લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે.