ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા દ્વારા ગઈકાલે, તા. ૧૭/૦૪/૨૦૨૫ ના રોજ, સબ ડિવિઝન વિસ્તારના પાક રક્ષણ હથિયાર પરવાના ધારકો માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પરવાના ધારકોના પરવાનાની અવધિ પૂર્ણ થઈ ગઈ હતી, તેઓને પરવાના રિન્યુ કરાવવા માટે નોટિસ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા.
આ પ્રક્રિયા દરમિયાન, મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પરવાના ધારક પોતે જ હથિયારનો ઉપયોગ કરે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી આ ઉપરાંત પરવાનામાં જે હથિયારનું વર્ણન કરવામાં આવ્યું છે તે જ હથિયાર ધારક પાસે છે કે કેમ તેની પણ ખાતરી કરવામાં આવી હતી.
વધુમાં, પરવાના ધારકો પાસેથી ટ્રેનિંગ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ તમામ ખરાઈની પ્રક્રિયા બાદ, ચોટીલા સબ ડિવિઝનમાં કુલ ૦૭ (સાત) પાક રક્ષણ હથિયાર પરવાના રિન્યુ કરવામાં આવ્યા હતા.
ત્યારે આ કાર્યવાહી ખેડૂતો અને તેમના પાકની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.