પાટડી ફાયરિંગ કેસ: ધ્રાંગધ્રા કોર્ટનો તત્કાલીન PSI સહિત છ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ

0
પીએસઆઈ સહિતના સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો:તમામ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો:તત્કાલીન પીએસઆઈ દ્વારા ફાયરીંગ કરવામાં આવતા પિતા-પુત્રના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામમાં વર્ષ ૨૦૨૧માં થયેલા પોલીસ ફાયરિંગ કેસમાં ધ્રાંગધ્રા ચીફ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે તત્કાલીન પીએસઆઇ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત છ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.
ગત છ નવેમ્બર, ૨૦૨૧ના રોજ બજાણા પોલીસ મથકના પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ હનીફખાન મલેકના ઘરે ચેકિંગ અર્થે ગયા હતા. ત્યારે આ ચેકિંગ દરમિયાન બોલાચાલીમાં મામલો ઉગ્ર બનતા પોલીસે હનીફખાનને ખાનગી વાહનમાં બેસાડ્યો હતો.
આ દરમિયાન હનીફખાનના ૧૪ વર્ષના પુત્ર નદીમખાને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. પીએસઆઇએ નદીમખાનની છાતીમાં ગોળી મારી હતી જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ હનીફખાનને પણ છાતીમાં ગોળી મારવામાં આવી હતી, જેમાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
મૃતક હનીફખાનની પુત્રી સુહાનાબેન મલેકે પીએસઆઇ વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય છ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ધ્રાંગધ્રા ચીફ કોર્ટે તમામ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top