આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરતા પુસ્તકો પ્રકાશિત બાબતે તમામ બ્રાહ્મણ સમાજની સંસ્થાઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ તથા કારેલીબાગ, વડોદરા ધ્વારા પ્રકાશિત લીલાચરિત્રની વાતો પૃષ્ઠ ૧૮૫ ની વાત - ૧૪૦ માં સમસ્ત બ્રાહ્મણ સમાજના આદર્શ અને આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરતા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવતા સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર ની તમામ બ્રાહ્મણ સમાજની સંસ્થાઓ દ્વારા તા.૪ એપ્રિલ -૨૦૨૫એ જીલ્લા કલેકટર કચેરીએ લેખિતમા આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.આ અંગે આવેદનપત્ર જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ તથા કારેલીબાગ, વડોદરા ધ્વારા પ્રકાશિત લીલાચરિત્રની વાતો પૃષ્ઠ ૧૮૫ ની વાત - ૧૪૦ માં સમસ્ત બ્રાહ્મણ સમાજના આદર્શ અને આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરતા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો ધ્વારા હાલમાં વારંવાર સનાતન ધર્મનાં દેવી દેવતાઓ વિશે મનઘડત અને અપમાનજક પ્રવચનો આપવામાં આવે છે. જેનાથી તમામ બ્રાહ્મણ સમાજ ની લાગણી ને ઠેસ પહોંચેલ છે. આથી આ સાથે બ્રહ્મ સમાજ ધ્વારા આવા પુસ્તકો તેમજ મનઘડત પ્રવચનો પર રોક લગાવવા આવેદન પત્ર આપવા માટે ફરજ પડેલ છે. આવા મનઘડત પુસ્તકો તેમજ પ્રવચનો ઉપર રોક લગાવવામાં નહીં આવે તો આગામી સમયમાં બ્રહ્મ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનો તેમજ કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ તકે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર ની તમામ બ્રાહ્મણ સમાજની સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બ્રાહ્મણ સમાજની તમામ સંસ્થાઓ સુરેન્દ્રનગર -વઢવાણ- રતનપર- જોરાવરનગર દ્વારા (૧) માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર.(૨) માનનીય ગૃહ મંત્રીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર. (૩) સ્વામિનારાયણ મંદિર, કુંડલ ધામ. જી. : બોટાદ નકલ રવાના કરવામાં આવી હતી.