સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના સરા ખાતે કન્યાશાળા ધો. ૮ ની વિદ્યાર્થીનીઓનો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ એસએમસીના અધ્યક્ષ મનીષાબેનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ તકે કન્યાશાળાના આચાર્ય ભાવનાબેન વ્યાસ સહીત શ્રીમતિ ઉષાબેન સાદરિયા, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ઉષાબેન ઈંગ્રોડિયા એ વિદ્યાર્થીનીઓને આશિર્વાદ આપ્ય હતા. જયારે વિદ્યાર્થીનીઓએ સુંદર ભેટ શાળાને અર્પણ કરી હતી.
આ તકે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય કમલેશભાઈ કૂણપરા, કુમારશાળાના આચાર્ય રજનીભાઇ વરમોરા અને શિક્ષક સ્ટાફ અને એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીનીઓની ભાવ સભર વિદાય વેળાએ લાગણી સભર દૃશ્ય સર્જાયા હતા. કાર્યક્રમના અંતે શાળાની દરેક વિદ્યાર્થીની અને ઉપસ્થિત મહેમાન ભોજન લઈ છૂટા પડ્યા હતા.
.........................................
વતનની લાગણીને
શ્રી આંબરડી પ્રા.શાળામાં ગામના જ વતની અને હાલ રાજકોટ રહેતા મનોજભાઈ પ્રજાપતિએ વતનની લાગણીને માન આપીને શાળામાં ભણતા ધોરણ 1 થી 9 ના તમામ બાળકોને ચવાણું અને ગુલાબજાંબુ ભરપેટ ખવડાવીને વતનના બાળકો પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.જેથી બાળકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. આ તકે શાળાના તમામ સ્ટાફે તેમનો આભાર માન્યો હતો.