ડો. ગીરીશ પંડ્યાની સૂચનાથી: સુરેન્દ્રનગરના ચાર સ્પા મસાજ પાર્લરમાં જાહેરનામાનો ભંગ બદલ એસ.ઓ.જી.પોલીસે કાર્યવાહી

0
સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) દ્વારા શહેરના ચાર સ્પા મસાજ પાર્લર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લામાં અમલમાં રહેલા જાહેરનામાનું ઉલ્લંઘન કરવા બદલ આ પાર્લર સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તમામ વ્યવસાયિક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો રાખવાની રહેશે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ચારેય સ્પામાં જિલ્લા મેજિસ્ટ્રેટના સીસીટીવી કેમેરા સંબંધિત જાહેરનામાનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના પગલે એસ.ઓ.જી. દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં નરવિરસિંહ જાડેજા, ઉંમર-૨૭, રહે. સુરેન્દ્રનગર, વિજયભાઈ સામજીભાઈ રોખ, ઉંમર-૨૮, રહે. સુરેન્દ્રનગર, ગૌતમભાઇ જયેશભાઈ વાઘેલા, ઉંમર-૨૩, રહે., નિલેષભાઈ પ્રભાશંકરભાઈ વ્યાસ, ઉંમર-૪૪, રહે. જુનાગઢ, મહાવિરસિંહ નરવિરસિંહ જાડેજા, ઉંમર-૨૭, રહે. સુરેન્દ્રનગરસ હીત ચાર સ્પા મસાજ પાર્લરના સંચાલકો વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
પોલીસે આ તમામ સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top