એ માટે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત એ. પટેલ ગાંધીનગર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્ય માસ્ટર ટ્રેનર તરીકે સહભાગી થયા હતા. ગુજકોમાસોલ ગાંધીનગરના ઉપક્રમે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ગ્રામ્ય લેવલના સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભાસદશ્રીઓ તેમજ સહકારી આગેવાનો માટે એક દિવસીય ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો.
આ પ્રાકૃતિક કૃષિ સંવાદમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત એ. પટેલ દ્વારા ફિલ્ડ લેવલના વિવિધ દર્શનીય મોડેલ ફાર્મની નાની શોર્ટ ફિલ્મોનું ફોટા સાથે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ઉપસ્થિત મહાનુભાવો, ખેડૂત મિત્રો તેમજ અન્ય લોકોને ઓર્ગેનિક ખેતીનું મહત્વ અને તેની આવશ્યકતા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સાથે વધુમાં વધુ ખેડૂતો જોડાય એ માટે આધાર પુરાવા સાથે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ૯૦૦થી પણ વધારે સહકારી ક્ષેત્રના સભાસદો, હોદ્દેદારો, અગ્રણીઓ સહિતના લોકોએ પ્રાકૃતિક કૃષિનું પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું.