ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજી જયંતિની સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૩૪મી જન્મ જયંતી નિમિતે સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ પરિવાર દ્વારા શહેરની પ્રતિમાનું દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર તબક્કે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ અને શહેરની ટીમ તેમજ જિલ્લા ભાજપ મંત્રી પ્રકાશભાઈ કોટડીયા, મીનાબેન સિંધવ તથા હરિલાલભાઈ સોલંકી અને તમામ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.