સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ડેપોમાં બેબી રૂમ અને વીઆઈપી રૂમની ચાવી હવે કંટ્રોલ રૂમમાં રાખવામાં આવી છે. મુસાફરો સવારે ૫ થી રાત્રે ૯ વાગ્યા સુધી કંટ્રોલ રૂમમાંથી ચાવી મેળવી શકશે. પહેલા આ રૂમો ખુલ્લા રાખવાથી અસામાજિક તત્વો અને દારૂડિયાઓ તેનો દુરુપયોગ કરતા હોવાનું જાણતા સમસ્યાના નિરાકરણ માટે એસટી તંત્રેએ નિર્ણય લીધો છે.જ્યારે એસટી ડેપોમાં બંધ પડેલા પંખાઓને દૂર કરી ૧૨ નવા પંખા કાર્યરત કરવામાં આવ્યા છે. તેમ વિશ્વાસ પાત્ર સુત્રો પાસેથી વિગત પ્રાપ્ત થઈ હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.