વિષ્ણુબાપુ દાણીધારીયાની રસદાર વાણીથી કટુડામાં શ્રીમદ્ ભાગવત કથાનો આરંભ:સુરાપુરા શ્રી મેરૂભા દાદાના મંદિરે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ
સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામે સુરાપુરા શ્રી મેરૂભા દાદાના મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે. કટુડા ગામથી મંદિર સુધી એક ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.પોથીના મુખ્ય યજમાન શ્રી સહદેવસિંહ રામદેવસિંહ ઝાલા અને સહ યજમાન ઘનશ્યામસિંહ અણદુભા ઝાલા, હરપાલસિંહ જનકસિંહ ઝાલા, ઋતુરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાએ આ ધાર્મિક કાર્યમાં લાભ લીધો હતો. વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ કથાકાર વિષ્ણુબાપુ દાણીધારીયા (ખાખરીયા વાળા) બિરાજમાન થયા છે, જેઓ પોતાની મધુર વાણીથી હજારો ભાવિક ભક્તોને શ્રીમદ્ ભાગવતની કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાનો હજારો ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો રસપૂર્વક લાભ લઈ રહ્યા છે.