સુરેન્દ્રનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે "પ્રબુદ્ધ નાગરિક સંમેલન" ભવ્ય રીતે સંપન્ન

0
ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પવિત્ર જન્મજયંતિ નિમિત્તે તા. ૨૦ એપ્રિલ-૨૦૨૫ને રવિવારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા "પ્રબુદ્ધ નાગરિક સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખેરાળી ચોકડી સ્થિત "નમો કમલમ" કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પાટડીના ધારાસભ્ય પી કે પરમાર, જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લીમડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા શ્રીમતી વિભાવરીબેન દવેએ પોતાના સંબોધનમાં ડૉ. આંબેડકરના અધૂરા સપનાઓ, તેમના દૂરંદેશી વિચારો અને આજના ભારત માટે તેમની પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી. તેમણે ડૉ. આંબેડકરના જીવનને સમરસતા, શિક્ષણ અને સશક્તિકરણનો અમૂલ્ય સ્ત્રોત ગણાવ્યો હતો.
જ્યારે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સાંસ્કૃતિક એકતા અને ભાઈચારાની ભાવનાનો અનુભવ કર્યો હતો. સમગ્ર આયોજન અત્યંત શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top