સુરેન્દ્રનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિનીની બહેનોએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર દ્વારા હિન્દુઓ પર થઈ રહેલા કથિત અત્યાચારના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આવેદનપત્રમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિનીએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર હિન્દુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે અને તેમના પર સતત અત્યાચાર થઈ રહ્યા છે.
આ સંસ્થાઓએ માંગ કરી હતી કે મમતા બેનરજીને મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક દૂર કરવામાં આવે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે અને હિન્દુઓ સુરક્ષિત રીતે જીવી શકે.