સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના વખતપર ગામના બોર્ડ પાસે સદભાવના ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી જવા પામી હતી. ત્યારે આ બનાવથી દોડધામ મચી જવા પામી હતી. જયારે આ ઘાટનાને પગલે સાયલા ચોટીલાના ફાયર ફાઈટરની ટીમો દોડી આવી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુમાં લીધી હતી. ઝાલાવાડમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે.અંગ દઝાડતી ગરમી વચ્ચે જીલ્લામાં ઉનાળા ના દિવસોમાં આગનાં બનાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ત્યારે વખતપર ગામના બોર્ડ પાસે ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ફેકટરી ઉપરથી પસાર થતા વીજ વાયર તૂટી પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાયું છે.?
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.