ધાંગધ્રા દયાવાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિના ચોથા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ અને ભાજપના શહેર પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
નવદંપતીઓને આશીર્વાદ આપવા સંતો-મહંતો, મુસ્લિમ ધર્મગુરુઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. દાતાઓએ તમામ 16 દંપતીઓને ઘરવખરીની ચીજવસ્તુઓ તેમજ સોના-ચાંદીના દાગીના ભેટ આપ્યા હતા