માળીયા શાખા નહેર તેમજ તેમાંથી નીકળતી વિવિધ નહેરોમાંથી પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોએ નહેરો પર બિનઅધિકૃત રીતે કરેલા દબાણો દૂર કરવા
મુખ્ય ઈજનેર, સૌરાષ્ટ્ર શાખા નહેર લીંબડીનાં કાર્યક્ષેત્રમાં આવતી અને મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ની માળીયા શાખા નહેર (સાંકળ -૦૦ કી.મી થી ૧૩૭.૯૩ કી.મી) તેમજ તેમાંથી નીકળતી પ્રશાખા, વિશાખા વિગેરે નહેરોમાંથી પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોએ નહેરો પર બિનઅધિકૃત રીતે મુકેલાં મશીનો/ પમ્પો/ બકનળીઓ હટાવી/ ખસેડી લેવાના રહેશે. અન્યથા કાયદાકીય રીતે તેમના મશીનો/ પમ્પો/ બકનળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે, જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.નહેરોના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનમાં હવે પછી કોઈપણ પ્રકારનું વાવેતર કરવું નહિ:અગાઉ વાવેતર કરેલુ હોય તો દિન-૩માં સંપાદિત જમીન ખુલ્લી કરવી
આ ઉપરાંત નહેરોના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનમાં હવે પછી કોઈપણ પ્રકારનું વાવેતર કરવું નહિ. અગાઉ વાવેતર કરેલુ હોય તો આ જાહેર નોટિસની તારીખથી દિન-૩માં સંપાદિત જમીન ખુલ્લી કરી આપવા જણાવવામાં આવે છે. આ અંગે જો ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની જવાબદારી જે-તે ખાતેદારની અંગત રહેશે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે. તેમ કાર્યપાલક ઇજનેર, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.૨/૧, ધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું .