ધાંગધ્રા પ્રાંત અધિકારીની : ગેરકાયદે ખનીજ વહન કરતા બે વાહનો જપ્ત, લાખોનો દંડ વસૂલ

0
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ માલવણ હાઈવે પર ગેરકાયદે ખનીજ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા બે વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી શ્રી આચાર્યએ સ્થળ પરથી કપચીથી ભરેલું એક ડમ્પર અને પથ્થરથી ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને વાહનો તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.
ઝડપાયેલા બંને વાહનોને ધાંગધ્રા સેવાસદન ખાતે લઈ જવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સઘન કાર્યવાહીના પરિણામે ખનન ચોરીમાં સંડોવાયેલા વાહન ચાલકોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
વધુમાં, સૂત્રોએ માહિતી આપી હતી કે પ્રાંત અધિકારી શ્રી આચાર્યએ છેલ્લા બે દિવસમાં કુલ છ વાહનો જપ્ત કર્યા છે અને ગેરકાયદે ખનન કરનારાઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાની શક્યતા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top