પાટડીમાં ખારાપાટ વણકર સમાજના 25મા સમૂહલગ્ન: પાનેતર વિતરણ સાથે તૈયારીઓનો પ્રારંભ

0
ખારાપાટ વણકર સમાજ દ્વારા આયોજિત 25મા સમૂહલગ્નની તૈયારીઓનો રવિવારે પાનેતર વિતરણ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. ખારાપાટ વણકર સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે ખાસ હાજરી આપીને સમાજના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. ખારાપટ વણકર સમાજ ભવનના પ્રમુખ નાથાભાઈ પરમાર અને મંત્રી ગણપત રેવર, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કિશોર વાઘેલા અને કારોબારી ચેરમેન પસા પરમાર સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. મહામંત્રી દિનેશ ચૌહાણ, રઘુ રાઠોડ, પ્રવિણ વાણીયા અને ડી.કે. મકવાણા સહિતના પદાધિકારીઓ અને દલસુખ જાદવ, ભવાન સોલંકી, ભાવેશ રાઠોડ અને મગન ગોઢડીયા જેવા સમાજના શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ પ્રસંગે 25મા સમૂહ લગ્નની કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કન્યા પક્ષ અને વરપક્ષના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top