સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડે.કલેકટરને વિચરતી જાતિના પરિવારોએ પ્લોટો કબજો અને સનત મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

0
2019માં કલેક્ટરશ્રી દ્વારા હુકમ પણ થઈ ગયેલ હોય ચોટીલા તાલુકાના નાવા ગામ પાસે સરકારશ્રી દ્વારા કબજા પાવતી પણ આપવામાં આવી - ડેપ્યુટી કલેક્ટર સાહેબે લોકોની લાગણી સમજીને તત્કાલ ઘટતું કરવા ખાત્રી આપેલ
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા શહેરમાં વર્ષોથી રહેતા વિચરતી અને વિમુખ જાતિના સરાણિયા સમાજના પરિવારો જાત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજથી અંદાજ પાંચ સાત વર્ષ પહેલા પોતાના માટે સરકારની યોજના માટે ઘરની પ્લોટની માંગણી કરેલ જે અનુસંધાને 2019માં કલેક્ટરશ્રી દ્વારા હુકમ પણ થઈ ગયેલ હોય ચોટીલા તાલુકાના નાવા ગામ પાસે સરકારશ્રી દ્વારા કબજા પાવતી પણ આપવામાં આવી હોય પરંતુ આજ દિન સુધી તડકો વરસાદ  વિગેરે સમસ્યાથી નાના બાળકોનું જોખમ પારાવર મુશ્કેલીઓ જ્યારે ભોગવી રહ્યા છે.
ત્યારે તા.૧ એપ્રિલ-૨૦૨૫ના રોજ ચોટીલા ડેપ્યુટી કલેકટર મકવાણા સાહેબને આ તમામ પરિવાર સાથે ન્યાય માટે તેમને પોતાના ફાળવેલા પ્લોટો કબજો અને સનત મળે જે માટે આવેદન  નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર મકવાણા સાહેબને   વિચરતી જાતિના પરિવારો સાથે માગણી સાથે તત્કાલ ઘટતું કરીને ન્યાય આપવા માટે અને પ્રાણ પ્રશ્નો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. ત્યારે આ આવેદન બાબતે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સાહેબે લોકોની લાગણી સમજીને તત્કાલ ઘટતું કરવા ખાત્રી આપેલ હતી. (દેવજીભાઇ ભરવાડ-સુરેન્દ્રનગર)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top