સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજે ૧૩.૫૦ કરોડ રૂપિયાની વેરા વસુલાત

0
વર્ષ ૨૦૨૪-૨૫માં થયેલ ડિમાન્ડ રૂ. ૨૫.૫૦ કરોડ સામે થયેલ વસૂલાત રૂ. ૨૬.૩૨ કરોડ થયેલ. જેમાં જૂની બાકી રૂ.૧૫૩.૧૭ કરોડ હતી જે ઘટીને હાલ રૂ.૧૨૦.૯૬ કરોડ થવા પામેલ છે. જે વેરો હાલ પણ વસુલ કરવાનો બાકી છે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ થયેલ મહાનગરપાલિકાની રચના બાદ વેરા વિભાગ દ્વારા વેરા વસુલાત કરવા અંગેની કામગીરી સઘન કરવામાં આવેલ હતી. 
ત્યારે આ કામગીરીમાં નગરજનો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક સહકાર આપવામાં આવેલ છે. મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજે ૧૩.૫૦ કરોડ રૂપિયાની વેરા વસુલાત કરવામાં આવેલ છે. જેમાં એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ સુધી થયેલ વેરા વસુલાત અંદાજિત રૂા.૧૨.૫૦ કરોડ હતી. સુરેન્દ્રનગરનાં નગરજનો દ્વારા વેરો સમયસર ભરપાઇ કરી શહેરના વિકાસ કાર્યોમાં ભાગીદાર થવા બદલ ખૂબ જ ઉત્સુકતા સાથે સહકાર આપવામાં આવેલ, જેથી માસિક વેરા વસુલાત અંદાજિત ૧ થી ૧.૫ કરોડ સુધી થવા પામતી હતી. તે વેરા વસુલાત માર્ચ ૨૦૨૫ એક જ મહિનામાં અંદાજીત ૭ કરોડ જેવી થયેલ છે. આમ શહેરના વિકાસમાં ભાગીદાર થવા બદલ સુરેન્દ્રનગરનાં સર્વે કરદાતાઓનો મહાનગરપાલિકા ખૂબ ખૂબ આભાર માને છે.
નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માં થયેલ ડિમાન્ડ રૂ. ૨૫.૫૦ કરોડ સામે થયેલ વસૂલાત રૂ. ૨૬.૩૨ કરોડ થયેલ. જેમાં જૂની બાકી રૂ.૧૫૩.૧૭ કરોડ હતી જે ઘટીને હાલ રૂ.૧૨૦.૯૬ કરોડ થવા પામેલ છે. જે વેરો હાલ પણ વસુલ કરવાનો બાકી છે. આથી જે કોઇ કરદાતાઓ દ્વારા બાકી વેરા ભરપાઇ કરેલ નથી, તેઓને આગામી માસ દરમિયાન વેરા ભરપાઇ કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તેમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top