સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના મહાદેવગઢ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે આચાર્ય કિશોરભાઈ મકવાણા, અશ્વિનભાઈ વરમોરા, વિમલભાઈ ખાંભલા, રિંકુબેન ચાવડા, પારૂલબેન પટેલ તથા SMC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે આ તકે વિદાય લેનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ SMC સભ્યો તરફથી શૈક્ષિણક કીટની ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પણ શાળાને માતા સરસ્વતીનો ફોટો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકોએ બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.