મહાદેવગઢ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

0
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના મહાદેવગઢ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે આચાર્ય કિશોરભાઈ મકવાણા, અશ્વિનભાઈ વરમોરા, વિમલભાઈ ખાંભલા, રિંકુબેન ચાવડા, પારૂલબેન પટેલ તથા SMC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 
ત્યારે આ તકે વિદાય લેનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ SMC સભ્યો તરફથી શૈક્ષિણક કીટની ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પણ શાળાને માતા સરસ્વતીનો ફોટો અર્પણ કરવામાં આવ્યો હતો. 
આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકોએ બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top