સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની રચના થયા બાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો માટે મહાનગરપાલિકાનાં સક્ષમ અધિકારીશ્રી દ્વારા સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ જે અન્વયે સરકારશ્રી દ્વારા વિવિધ કામો માટે કુલ રૂા.૯૫ કરોડની નાણાંકીય સહાય પુરી પાડવામાં આવેલ છે. જેમાંથી ઓફિસ સ્ટ્રેન્ધનીંગ અને વહીવટી ક્ષમતા વધારવા માટે રૂા.૧૦ કરોડ તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારને સફાઇ કામગીરી મારફત સ્વચ્છ રાખવા તથા શહેરને બ્યુટીફીકેશન અંર્તગતની કામગીરી કરવા માટે રૂા.૧૦ કરોડ તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારનાં રસ્તાઓ, ગટરો અને પાણી વ્યવસ્થાપન માટે રૂા.૫૦ કરોડ અને તદ્ઉપરાંત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની આંતરીક માળખાકીય સવલતો, સોશીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ તથા ગાર્ડનીંગ ડેવલોપમેન્ટ જેવી વિવિધ કામગીરીઓ માટે રૂા.રપ કરોડ, આમ કુલ મળી રૂા.૯૫ કરોડની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.
વધુમાં ઉપરોકત જણાવ્યા મુજબ રૂા.૯૫ કરોડમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ નવા પાંચ ગામોમાં પાણી, ગટર અને સ્ટ્રીટલાઇટ વિગેરે પાયાની માળખાકીય સવલતો આપવા અંગેનુ આયોજન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા આઇકોનીક રોડ અને રોડ બ્યુટીફીકેશન તથા રંભાબેન ટાઉનહોલને રીનોવેશન કરવાની કામગીરી, લાઇબ્રેરી અપગ્રેડ કરવાની કામગીરી, વેજીટેબલ માર્કેટ તથા ટાગોર બાગ તથા અન્ય ગાર્ડન ડેવલોપમેન્ટની કામગીરી તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અપગ્રેડેશન, વિવિધ સર્કલ બ્યુટીફીકેશન, ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવા જેવા કામોનું આયોજન કરવામાં આવેલ છે. જે કામગીરીઓ આગામી એક વર્ષમાં પૂર્ણ કરી શકાય તે માટે વિગતવાર પ્રોજેકટ ડીઝાઇન તથા ટેન્ડર પ્રક્રિયાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
તેમ તા.૦૫/૦૪/૨૦૨૫,સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.