શ્રદ્ધાળુઓ આ મંદિર ના દર્શને આવતાં હોય છે
વઢવાણ ભોગાવો નદી કાંઠે 10મી સદીનું પૌરાણીક સતિ રાણક દેવીનુ મંદિર આવેલુ છે.આ મંદિરના શિખરપર આમલક અને કળશ છે.આ મંદિરની બહારની દિવાલોમાં કિર્તીમુખ, ગવાક્ષ લટકતા ઘંટ અને તામ્ર પત્રના શિલ્પો શોભામા અભિવૃધ્ધી કરે છે.
ત્યારે તા.૫ એપ્રિલ ૨૦૨૫ને શનિવારના રોજ રાષ્ટ્રીય ખંગાર ક્ષત્રિય સંસ્થા, ગુજરાત દ્વારા વઢવાણ ખાતે સતી માતા રાણકદેવી મંદિર ખાતે શાંતિ હવન અને ૫૧ કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું . જેમાં સંસ્થાના અધિકારીઓ શ્રી સંતરામસિંહ ખંગાર, રાજુસિંહ ખંગારે હવન વૈદીનું કામ પૂર્ણ કર્યું હતું. ઊલેખનીય છે કે વઢવાણ સ્થિત. ઐતિહાસિક રાણકદેવીનું મંદિર ખંગાર ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર હોય લાખો શ્રદ્ધાળુઓ આ મંદિર ના દર્શને આવતાં હોય છે.
આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓમાં રાષ્ટ્રીય મહામંત્રી અરીમર્દનસિંહ ખંગાર, પ્રદેશ પ્રમુખ ગુજરાત શ્રી વિરેન્દ્રસિંહ ખંગાર, પ્રદેશ પ્રભારી શ્રી સી.બી.સિંહ ખંગાર, જીલ્લા પ્રમુખ બોટાદ ધીરુસિંહ અને શ્રી ભગવાનસિંહ, શ્રી નરેશસિંહ, શ્રી પ્રશાંતસિંહ સુરેન્દ્ર નાગર, અમરસિંહ ખંઢેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભક્તોભાવિકોના સહયોગથી શાંતિ હવન તેમજ પૂજાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઇતિહાસમાં કહેવાય છે કે રાણકદેવીના પતિ જુનાગઢના રા ખેંગારને તે સમયના પાટણના રાજા સિધ્ધરાજસિંહે મારીનાંખ્યા હતા.જે માથુ લઇને રાણકદેવી ભોગાવો વઢવાણ પહોંચ્યા હતા.
જે વઢવાણ ભોગાવો પાસે જુનાગઢથી રાણી રાણક દેવી આવી પતિના માથા સાથે સતિ થયા હતા.જેમાં ભોગાવો નદીમાં સતિરાણક દેવી સતિ થતા રાણક દેવી પુજાત સમયાંતરે રાણકદેવી મંદિર પ્રખ્યાત બન્યુ છે.