દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નારણભાઈ કલોત્રા(PSI)નું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ત્યારે ૫૩ વર્ષીય નારણભાઈ લખતર ગામના વતની હતા.જાણવા મળતી વિગત મુજબ નારણભાઈ કલોત્રા રાત્રે ડ્યુટી પૂર્ણ કર્યા બાદ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જયારે તેમના અવસાનના સમાચારથી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.મૃતક નારણભાઈ કલોત્રા PSIના પાર્થિવદેહને લખતર લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, મિત્રો અને સગા-સંબંધીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.