સુરેન્દ્રનગર ડીવીઝન પોલીસ ૧૦૦ કલાક દરમ્યાન અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી

0
ગુજરાત રાજયના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીની સુચનાથી આઇ. જી. પી. રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જીલ્લા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયાની સીધી સુચના મુજબ સુ.નગર ડીવીઝનમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે પાર્થ પરમાર નાયબ પોલીસ અધિક્ષક I/C સુ.નગર ડીવીઝન તથા પો.ઇન્સ. એલ.સી.બી.શાખા સુરેન્દ્રનગર તથા તેઓની ટીમ તેમજ પો.ઇન્સ. એસ.ઓ.જી.શાખા સુરેન્દ્રનગરનાઓ તથા તેઓની ટીમ તથા પો.ઇન્સ સુ.સીટી.એ.ડીવી.સુ.સીટી.બી.ડીવી, વઢવાણ, મુળી પો.સ્ટે.નાઓ તથા પો.સબ.ઇન્સ જો. નગર, લખતર પો.સ્ટે.નાઓ તેમજ ડીવીજનના પોલીસ કર્મચારીઓ દ્વારા સુ.નગર ડીવીઝન વિસ્તારમાં મોટાપાયે અને સક્રીયપણે પ્રોહી જુગાર તથા ખનીજ ચોરી તથા શરીર સબંધી, મીલકત સબંધી અસમાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ કુલ-૧૫૨ અસામાજીક તત્વોને સુરેન્દ્રનગર ડી.ટી.સી.હોલ ખાતે બોલાવી સરકારના ૧૦૦ કલાક ઝુંબેશ અન્વયે ભવિષ્યમાં આવી ગે.કા.પ્રવૃતી નહીં કરવા સમજ કરવામાં આવેલ છે.
તેમજ અસામાજીક તત્વોને રાઉન્ડઅપ કરી તેઓની અધ્યતન વિગતો મેળવી તેઓની હાલની પ્રવુતી બાબતે પુછપરછ કરી, લગત થાણા અધિકારીઓને આવા અસામાજીક તત્વો ઉપર સતત વોચ રાખવા સુચના કરવામાં આવેલ છે. ગેરકાયદેસર બાંધકામ, દબાણ જાતેથી દૂર કરવા અલ્ટીમેટમ આપવામાં આવેલ તેમ છતા જાતેથી કાર્યવાહી નહી કરવામાં આવે તો સ્થાનીક નગરપાલીકા, ગ્રામ પંચાયત તેમજ પી. જી. વી. સી. એલ. ની ટીમોને સાથે રાખીને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની સમજ કરવામાં આવેલ છે.
તેમજ સરકારના ૧૦૦ કલાક ઝુંબેશ અન્વયે સુ.નગર ડીવીઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં માં અસમાજીક તત્વો વિરૂધ્ધ અલગ અલગ જગ્યાએ કુલ-૩૫ ગેરકાયદેસર વીજ કનેકશનની કાર્યવાહી કરી કુલ-રૂ.૧૦,૬૦,૦૦૦/-દંડ કરવામાં આવેલ છે
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top