સુરેન્દ્રનગર જિલ્લામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ – ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી – ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષ અંતર્ગત કે. પી. ગર્લ્સ હાઈસ્કુલ, વઢવાણ ખાતે “વિચાર ગોષ્ઠી”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બંસરીબેન પટેલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષ અન્વયે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમજ કે.પી. ગર્લ્સ હાઈસ્કૂલ વઢવાણના નૃત્ય કલાવૃંદ દ્વારા દેશભક્તિ નૃત્ય, ''નાદ બહાર” ગ્રુપ, સુરેદ્રનગર દ્વારા સરદાર ચાલીસા રજૂ કરવામાં આવી હતી. શ્રી મહેશભાઈ કાનાણીએ મુખ્ય વક્તા તરીકે પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. આ તકે ભાગ લેનાર તમામ ગ્રુપોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
આ તકે સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળના મંત્રી શ્રી વલ્લભભાઈ પટેલ, સહમંત્રી શ્રી ધીરૂભાઈ પટેલ, આચાર્ય શ્રી રસીલાબેન વાછાણી શ્રી કે.પી.ગર્લ્સ હાઈસ્કુલ, જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી મોનિકા ચુડાસમા સહીત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.