સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીને મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન સાથે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો અને સભ્યો તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા કલેકટર ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં સમાજવાદી પાર્ટીના સાંસદનું રાજ્યસભા સભ્યપદ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. રાજ્યોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ સાંસદની ટિપ્પણી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
રાજપુત કરણી સેના અને અન્ય સામાજિક સંગઠનોએ આ મુદ્દે એકજૂટતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ માર્ચ ૨૦૩૫ના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રામજીલાલ સુમને મહારાણા સાંગાને 'ગદ્દાર' જેવા શબ્દોથી સંબોધ્યા હતા. આ ટિપ્પણીને લઈ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન સાથે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો અને સભ્યો તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા કલેકટર ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું.