વઢવાણના ખોડુ ગામે સરકારી ખરાબા અને ગૌયરની જમીનો તાત્કાલીક માપણી કરાવી અને દબાણ દૂર કરવા લેખિત રજૂઆત

0
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ખોડુ ગામમાં સરકારી ખરાબા અને ગૌચર જમીનના દબાણ બાબતે ટમાલિયા બુટાભાઇ રહે.મુ.ખોડુ, તા.વઢવાણ,જી. સુરેન્દ્રનગર સહિતના માલધારીઓએ લેખિત રજૂઆત કરી છે. આ અંગે રજૂઆતમા જણાવાયું હત કે, ૨૦-વર્ષથી સરકારી ખરાબા અને ગૌચરની જમીનમાં ખાડામાં ખોદકામ, પથ્થર સફેદ અને માર્ગ તેમજ સીમ તળાવમાં ખેડૂતો તેમજ ખનીજ માફિયાઓ દ્વારા દબાણ કરેલ છે. અગાઉ સને ૨૦૦૪ માં માલધારીઓ દ્વારા આ ગૌચરો છુટા કરાયેલા પણ ગ્રામ પંચાયતે કોઇ ધ્યાન ન દેતાં અત્યારે અંદાજે હાલ ૨૦૦ એકર જમીનમાં અંદાજે દબાણ છે. ૫૦ એકર જમીનમાંથી હાલ સફેદ પચાર કાઢવામાં આવે છે તેમજ ૫૦ એકર જમીનમાં હાલ ધર્મેન્દ્રભાઇ મકાભાઇ શેખાવા જેઓ હાલ આર્મીમાં ફરજ બજાવે છે તેઓએ કબજો કરીને વૃક્ષનું કાયમી વાવેતર કરેલ છે. તાત્કાલીક ૯૮૧ સર્વે નંબરમાં તપાસ કરવા જણાવ્યું હતું.
જ્યારે અંદાજે ૧૦ સર્વે નંબરો ગૌચરના છે. જેની ઉપર હાલ દબાણ અને રજુઆત ૭/૧૨ ની નકલ રજુ કરી ખનીજ માફિયાઓ દ્વારા બ્લાસ્ટીંગ કરી પથ્થરો તોડવામાં આવે છે તેના કારણે જાહેર રસ્તા ઉપર રાહદારીઓને જીવ જોખમમાં મુકાય તેમ છે. જ્યારે આ અંગે અગાઉ તા.૧૬/૧૨/૨૦૦૮માં મુખ્યમંત્રીને અમોએ રજુઆત કરેલ છે તેમજ તા. ૨૩/૦૬/૨૦૧૨ ના રોજ માન.કલેકટર સાહેબને પણ અરજી કરેલ છે. તેમ છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. 

આથી અરજીમા ખાસ વિનંતી છે કે, ગ્રામ પંચાયતને તાત્કાલીક જમીનની માપણી કરાવવા અંગે અને જો તાત્કાલીક માપણી નહી કરવામાં આવે તો માલધારીઓને ખુબ મુશ્કેલી પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય તેમ છે માટે દરેક સિમના રસ્તા, સીમ તળાવ તેમજ ગૌચર અને ખરાબાના તમામ સર્વે નંબરની માપણી કરીને ખુંટા ખોડવા વિનંતી કરાઇ તેમજ તાત્કાલીક ગૌચરના દબાણો દૂર નહી થાય તો માલધારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે‌
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top