સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવોનો સિલસિલો ચાલુ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે થાનગઢના પૂર્વ પ્રમુખ થાનગઢ શહેર ભાજપ જીતુભાઈ પુજારાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી – વર્ષ ૨૦૨૫ દરમિયાન કિરણબેન કિશોરભાઈ જાદવ તેમજ શ્રી હર્ષદકુમાર મનસુખભાઈ પાટડીયા બંને સદસ્યશ્રી, સદસ્ય થાનગઢ નગરપાલિકાની વર્તણૂક, વ્યવહાર તથા કામગીરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરોધી જણાતા બંનેને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ તથા તમામ હોદ્દાઓ પરથી તાત્કાલીક અસરથી ૦૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.