સુરેન્દ્રનગર દ્વારા રેકર્ડ ખરાઇ કરી લેન્ડગ્રેબીંગ કમીટીમાં ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ મુજબનો ગુનો રજીસ્ટર કરવા માટે હુકમ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કોલસાના કુવામાં ગેસ ગળતરથી ત્રણ શ્રમીકોના મોતનાં બનાવ અનુસંધાને આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ હેઠળ ફરીયાદ મુળીનાઓને ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ જેથી કલેકટર સાહેબ સુરેન્દ્રનગર દ્વારા રેકર્ડ ખરાઇ કરી લેન્ડગ્રેબીંગ કમીટીમાં ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ મુજબનો ગુનો રજીસ્ટર કરવા માટે હુકમ કરવામાં આવેલ અને મામલતદાર મુળીનાઓને ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ. જે અન્વયે મુળી પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૨૧૧૦૩૫૨૫૦ ૧૩૨/૨૦૨૫ ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ)ચ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓને સોપવામાં આવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઇ તા.૧૩-૦૭-૨૦૨૪ ના રોજ મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસાના ખાડા(કુવા)ખોદીને કોલસો કાઢવાની ગેર કાયદેસર ની પ્રવૃતીમાં ગેસ ગળતરના લીધે ત્રણ વ્યકિતઓના મૃત્યુ થયેલ હતા.
જે અનુસંધાને તા.૧૪/૦૭/૨૦૨૪ ના રોજ મુળી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૧૧૦૩૫૨૪૦૩૩૨/૨૦૨૪ બી.એન.એસ કલમ ૧૦૫,૫૪ મુજબ રજીસ્ટર થયેલ હતો. જેમા આરોપીઓ જશાભાઇ રઘાભાઇ કેરાળીયા ત.કોળી રહે.ઉંડવી તા.થાનગઢ તથા જનકભાઇ જીવણભાઇ અણીયારીયા ત.કોળી રહે.રાયસંગપર તા.મુળી નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. ત્યાર બાદ આ જમીન બાબતે ખરાઇ કરતા સદરહુ જમીન સરકારી જણાય આવતા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કલેકટર સાહેબશ્રી સુરેન્દ્રનગર નાઓને ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ હેઠળ આગળની કાર્યવાહી કરવા માટે લેખીત રીપોર્ટ પાઠવવામાં આવેલ. જે અનુસંધાને કલેકટર સાહેબશ્રી સુરેન્દ્રનગર દ્વારા રેકર્ડ ખરાઇ કરી લેન્ડગ્રેબીંગ કમીટીમાં ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ મુજબનો ગુનો રજીસ્ટર કરવા માટે હુકમ કરવામાં આવેલ અને મામલતદાર મુળીનાઓને ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ. જે અન્વયે મુળી પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૨૧૧૦ ૩૫૨૫૦૧૩૨/૨૦૨૫ ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ)ચ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર નાઓને સોપવામાં આવેલ છે. અને આરોપીઓ જશાભાઇ રઘાભાઈ કેરાળીયા ત.કોળી રહે.ઉંડવી તા.થાનગઢ તથા જનકભાઇ જીવણભાઇ અણીયારીયા ત.કોળી રહે.રાયસંગપર તા.મુળી નાઓની ધરપકડ કરી ગુજરાત લેન્ડગ્રેબિંગ (પ્રોહીબીશન) એકટ ૨૦૨૦ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.