સુરેન્દ્રનગર એસઓ.જી પોલીસે મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી શંકાસ્પદ રીતે હથીયાર અંગેના પરવાના મેળવતા કુલ-૨૧ ઇસમો પાસેથી કુલ હથીયાર નંગ-૨૫ કિ.રૂ. ૨૫ લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વિકાસ સહાય (IPS) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓની અસમાજીક તત્વો વિરૂધ્ધ ૧૦૦ કલાક કામગીરી ઝુબેશ હેઠળ, અશોકકુમાર યાદવ(IPS) પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટની સુચના માર્ગદર્શન હેઠળ ડૉ.ગીરીશ પંડયા (IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર જીલ્લામાં ગે.કા.હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયારધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગે.કા.હથીયારો મોટા ભાગે બહારના જીલ્લા/રાજ્યમાંથી આવતા હોય જે અંગે એક રેકેટ ચાલતુ હોય જે રેકેટનો પર્દાફાશ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન આધારે PI બી.એચ.શીંગરખીયાએ બાતમી મેળવેલ કે, સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક ઇસમો જેમના વિરુધ્ધ સુરેન્દ્રનગર જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા ઇસમોને સુરેન્દ્રનગર જીલ્લામાંથી જીલ્લા કલેકટર સાહેબ તથા ગુજરાત રાજ્યમાંથી હથીયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથીયાર રાખવા માટે લાઇસન્સ મળેલ ન હોય અથવા મળી શકે તેમ ના હોય તેવા ઇસમો બહારના રાજ્યમાંથી જેમા ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડીયા પરમીટ મેળવેલાની હકિક્ત મળેલ હોય જે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ સુરેન્દ્રનગરનાઓની મંજુરી આધારે આ કામે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ આધારે સુરેન્દ્રનગર જીલ્લાના કુલ-૨૧ ઇસમોએ મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી ગુજરાત રાજયના તથા મણીપુર અને નાગાલેન્ડ તથા હરીયાણાના એજન્ટ મારફતે હથીયાર ધારા અંગેના પરવાના મેળવી કુલ-૨૫ હથીયારો જેમાં પિસ્ટલ-૫, રીવોલ્વર-૧૨, બારાબોર-૮ મેળવેલાની હકિકત મળેલ હોય જે તમામ ઇસમોને સુરેન્દ્રનગર એસ.ઓ.જી.કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી મુકેશભાઈ ભરવાડ રહે,મુળ વાકાનેર, છેલાભાઈ વેલાભાઈ ભરવાડ રહે,મુળ દરોદ તા.ચુડા જી.સુરેન્દ્રનગર હાલ રહે, સુરત, વિજયભાઇ ભરવાડ રહે, સુરત, શોકતઅલી રહે,હરીયાણાવાળાઓ મારફતે હથીયાર અંગે પરવાના મેળવેલાની તથા તે પરવાના આધારે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી હથીયાર ખરીદી કરેલાની કબુલાત આપતા હોય જે શંકાસ્પદ પરવાના બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવા માટે હથીયારો તથા પરવાના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અગર કોઇ ગેર કાયદેસર હથીયાર મણીપુર, નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર કે અન્ય રાજયમાંથી લઇને આવેલ હોય ગેર કાયદેસર રીતે હથીયાર/દેશી તમંચો/કો/પીસ્ટલ વિગેરે રાખેલ હોય. કોઇએ સોશીયલ મીડીયા ઉપર હથીયાર સાથેના કોટા કે રીલ્સ અપલોડ કરેલ હોય અથવા કોઇ ગેર કાયદેસર કે શંકાસ્પદ હથીયાર ધારણ કરેલ હોય તો આવી માહીતી નજીકના પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી.શાખા સુરેન્દ્રનગર ને જાણ કરવા વિનંતી. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.મો.નં. ૬૩૫૯૬ ૨૬૧૭૫ ઇમેલ
આ કામગીરીમાં PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, HC અશ્વિનભાઇ ઠારણભાઇ HC અરવિંદસિંહ દિલુભા ઝાલા, HC અમરકુમાર કનુભા ગઢવી, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભા ખેર, HC જગમાલભાઈ અંબારામભાઈ મેટાલીયા, PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC મહાવિરસિંહ જોરુભા રાઠોડ, PC મુનાભાઈ નાનજીભાઇ રાઠોડ, PC રવિરાજભાઈ મેરૂભાઈ ખાચર, PC અશ્વિનભાઇ કરશનભાઇ વાઘેલા, PC નિતીનભાઈ હરેશભાઈ ગોહિલ, PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા, WUPC રૂપાબેન રસિકકુમાર જાની, WUPC ભાવિકાબેન નરોત્તમભાઇ સાકરીયા સહિત પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયા હતાં.