સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના મુખ્ય માર્ગ અને ફૂટપાથના ગેરકાયદે દબાણો હટાવી અને રસ્તા ખુલ્લા કરવા અભિયાન હાથ ધરાયું હતું. શહેરના મલ્હાર ચોકથી દૂધરેજ ટીબી હોસ્પિટલ રોડ સુધીમાં ગેરકાયદે રોડ સુધી બનાવેલા ઓટલા, છાપરા તોડી પાડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણમાં મુખ્ય માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ પાલિકા ટીમ જોરાવરનગર રતનપર વિસ્તાર બાદ શનિવારે કમિશનરની સૂચનાથી નાયબ કમિશનર અર્જુનભાઈ ચાવડા, કેતનભાઈ મયુરસિંહ ઝાલા. શાહના સહિતનાઓની ટીમે દ્વારા શહેરમાં દબાણ હટાવ કામ હાથ ધર્યું હતું. જેમાં મલ્હાર ચોકથી દૂધરેજ ટીબી હોસ્પિટલ સહિતના વિસ્તાર સુધી ફરી બહાર રોડ સુધી કરેલા ઓટલાના ૧૦ દબાણ અને બહાર સુધી રાખેલા ૧૨થી છાપરા દૂર કરાયા હતા. જ્યારે ફરી દબાણ કરાશે તો દંડ કરાશે અને દબાણ દૂર કરવાનો ખર્ચ પણ પાલિકા વસૂલશે તેવી તાકીદ કરી હતી.