ઝાલાવાડ ચેમ્બરની વાર્ષિક સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની નિમણુંક

0
ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જે 63 વર્ષથી સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાના વ્યાપાર અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી જીલ્લાની મોટી સંસ્થા છે. ત્યારે ઝાલાવાડ ચેમ્બરની વાર્ષિક સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં અાવી છે જેમાં નવ બિનહરીફ ચુંટાયેલા સભ્યોના નામ જાહેર કરાયા છે. જેમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ તુરખીયા, સુરેન્દ્રનગર, ઉપપ્રમુખ તરીકે દિલીપસિંહ પરમાર અને સુમિતભાઈ પટેલ ચુંટાઈ આવ્યા જયારે ઝાલાવાડ ચેમ્બરના નવા પ્રમુખ દ્વારા માનદ મંત્રી તરીકે કેયુરભાઈ કોઠારી,સહ માનદમંત્રી તરીકે મુકેશભાઈ મકવાણાની નિયુકિત કરવામાં આવી છે.
વધુમાં તાજેતરમાં જ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરતા સ્થાનિક વિસ્તારની છ બેઠકો અને બહારગામ વિસ્તારની ત્રણ બેઠકો પર ચેમ્બર સભ્યોએ ઉમેદવારી નોંધાવેલ હતી અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં ખાલી બેઠકો જેટલા જ ઉમેદવારો રહેતા હોય, ઝાલાવાડ ચેમ્બરની વાર્ષિક સામાન્ય સભામાં તેઓને બિનહરીફ ચુંટાયેલ જાહેર કરવામાં આવેલ હતા.
આથી સ્થાનિક વિસ્તારમાં દિનેશભાઈ જે. તુરખીયા સુરેન્દ્રનગર, પ્રશાંતભાઈ વી. વ્યાસ સુરેન્દ્રનગર, કેયુરભાઈ એન. કોઠારી સુરેન્દ્રનગર, માધવીબેન એચ. શાહ (વઢવાણ), તરૂણભાઈ જી. વરમોરા (વઢવાણ), પુનીતભાઈ એન. શાહ વઢવાણ, તેમજ બહારગામ વિસ્તારમાં મહમદહસનૈન એચ નરસિંહ લીંબડી, મુકેશભાઈ યુ. મકવાણા અને મુકેશભાઈ એમ. ચાવડા થાનગઢ વરણી કરવામાં આવી છે. આથી ચેમ્બરના નવા હોદેદારો અને નવા બિનહરીફ ચૂંટાઈ આવેલ કારોબારી સભ્યોને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા આવ્યા હતાં. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top