તા.૨૧ માર્ચ ના રોજ ક્ષેત્રિય વન વિભાગ તથા વન વિસ્તરણ વિભાગ લખતર દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી મે.નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ અણીયાળી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
જેનું આયોજન શાળાના આચાર્ય શ્રી તથા વન વિભાગ લખતર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મે.બી.આર.મકવાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી તથા દાનુભા ગોહિલ રાઉન્ડ ફોરેસ્ટર લખતર દ્વારા વૃક્ષ નુ માનવી ના જીવન માં કેટલુ મહત્વ છે? વિશ્વ વન દિવસ ની ઉજવણી ની શરૂઆત ક્યારે થઇ? તેમજ શાળા માં વિદ્યાર્થીઓ માં વૃકત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબર ને ઈનામ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જીવન માં આવતા સારા દુઃખ ના દરેક પ્રસંગે વૃક્ષો નુ વાવેતર કરી પ્રસંગને યાદગાર બનાવવાની શપથ લેવડાવી હતી.