ગુજરાત રાજયના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીની સુચનાથી આઇ.જી.પી.રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જીલ્લા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયાની સીધી સુચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા કુલ ૧૩૩ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા.
ત્યારે ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશન ગુનામાં સંડોવાયેલા આ ૧૩૩ આરોપીઓને રાઉન્ડઅપ કરી તેઓની હાલની પ્રવૃત્તિ અંગે તપાસ કરી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ અન્ય વિભાગો ની મદદ થી ગેરકાયદેસર વીજ જોડાણ, બાંધકામ, દબાણો અંગે ચેકિંગ હાથધરી કાર્યવાહી શરૂ કરવામાં આવી તેમજ આ આરોપીઓ વિરૂદ્ધ પાસા, તડીપાર અને અન્ય અટકાયતી પગલા લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
.