સુરેન્દ્રનગર ગુર્જર પ્રજાપતી સમાજ દ્વારા સમાજના વિવિધ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ૧૧મો સન્માન સમારંભ રતનપર ખાતે તા.૨૫ માર્ચે યોજાયો હતો. આ તકે સુરેન્દ્રનગર જીલ્લાના એસપી ડો ગીરીશકુમાર પંડયા(IPS) ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પીપળીધામ મંદિરથી મંહત મુખીમહારાજ હળવદ નકલંકધામ મંદિરના મહંત દલસુખમહારાજ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓ પોતાના વક્તવ્યમાં વિધાર્થીઓની પ્રોત્સાહિત પ્રવચન આપતા સમારંભના અભરતભાઇ વિરમગામીએ વિર્ધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
જ્યારે જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડયા(IPS)એ જણાવ્યુ હતુકે વાલીઓ પોતાના બાળકોના ફેન્ડ બને મોબાઇલની વિવિધ એકટીવીમા માતાપિતા અવશ્ય ફેન્ડ લીસ્ટમાં હોવા જોઈએ જેથી આપના બાળકો અને વાલીઓ નિયંત્રણમા રહે આપના બાળકોની એકટીવીટી પર નજર રહે જ્યારે દલસુખ મહારાજએ જણાવ્યુ હતું કે સરકારની વિવિધ યોજનાની જાણકારી લો એનો લાભ લેવા, અભ્યાસ માટે સરકાર દ્વારા અનેક લાભો વિર્ધાર્થીઓને આપવામા આવે છે.
તેની માહિતી લો અને એનો ઉપયોગ થકી આપનુ ભવિષ્યમા આગળ વધારો.ત્યારે આ યોજાયેલ કાર્યક્રમમા ૬૫ વિર્ધાર્થીઓને સન્માનિત કર્યા અને વિશિષ્ટ સન્માનમાં છને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રતનપર પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજયભાઇ કોશીયા, મંત્રી લીલેશભાઇ સાપરા સહિત તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.