સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને તાલુકાના નવા હોદ્દેદારોની નિમણૂંક માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે નવા હોદ્દેદારો માટે ગાઈડ લાઈનમાં ખાસ કરીને સ્વસ્છ પ્રતિભા, ગુનાહિત પ્રવૃત્તિ ન હોવી જોઈએ, કેરેક્ટર અને ૧ વ્યક્તિ ૧ હોદ્દો, ઉંમરનુ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના શહેર અને તાલુકાના ૧૬ જેટલા મંડળોના નવા પ્રમુખોની નિમણૂંક થયા બાદ લાંબા સમય બાદ નવા હોદ્દેદારો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂંક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા શહેરીજનો ઉઠવા પામી હતી. નવા હોદ્દેદારો માટે પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશની ગાઈડલાઈન મુજબ 1 વ્યક્તિ 1 હોદ્દો, સ્વચ્છ પ્રતિભા, ગુનાહિત પ્રવૃત્તિ ન હોવાના અને કેરેક્ટર સારું હોવા સહિતનું ધ્યાન રાખીને હોદ્દાની નિમણૂક આપવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.