સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટ, વગેરેને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા " હેલ્પલાઇન નંબર-૦૨૭૫૨ ૨૮૪૪૦૬ તથા ઈ-મેઇલ આઈ ડી grievance. snmc@gmail. com જાહેર કરવામાં આવેલ છે.
ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના રહીશોએ આ હેલ્પ લાઈન નંબર ૨૪*૭ કાર્યરત રહેશે અને અનિવર્ય સંજોગોમાં ઈ-મેઇલ પર પણ ઓનલાઈન ફરિયાદ કરી શકશે. જ્યારે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ, કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરીકો ફરિયાદ નોંધાવી શકે છે. તેમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવાયું છે.