સુરેન્દ્રનગરમાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારો લાવવાના કૌભાંડ પોલીસ તપાસમાં બહાર આવ્યું: SOGને વધુ તપાસ સોંપાઈ

0
સુરેન્દ્રનગરમાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારો લાવવાના કૌભાંડ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે! ત્યારે સ્થાનિક તત્વો નાગાલેન્ડ, મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારના પરવાના મેળવીને અહીં લાવી રહ્યા હતા. જ્યારે આ ગુનાહિત તત્વો મારામારી, હત્યા અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે.!ત્યારે સુરેન્દ્રનગર પોલીસે આ મામલે ગંભીરતા રાખી અંદાજે પાંચથી વધુ ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડી પોલીસને શંકા છે કે, આ ગુનાહિત તત્વો એજન્ટોની મદદથી ગેરકાયદેસર રીતે હથિયારના પરવાના મેળવી રહ્યા હતા.ત્યારે આ માટે એક આખું નેટવર્ક કાર્યરત છે.આ એજન્ટો બહારના રાજ્યોમાં સ્થાનિક અધિકારીઓ સાથે સાંઠગાંઠ રાખીને ઓલ ઈન્ડિયા પરમિટ ધરાવતા હથિયારના પરવાના મેળવતા હતા.
આ સમગ્ર મામલે વધુ તપાસ માટે સુરેન્દ્રનગર એસઓજી પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ આ કૌભાંડના ઉડી તપાસ સુધી પહોંચવા તેમજ આમા સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે આ ગેરકાયદેસર હથિયારોના પરવાના મેળવવામાં મદદ કરનારા એજન્ટો તેમજ અધિકારીઓની પણ તપાસ કરી રહી છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top