લોકો ઇ-મેમાનો દંડ નાયબ પોલીસ મહાનિરીક્ષકની, કચેરી ખાતે નેત્રમ ઓફીસ પર અથવા આપના નજીકના પો.સ્ટ’ અથવા ઓનલાઇન ઇ-મેમો ભરવા માટે https://echallan.parivahan.gov.in વેબસાઇટ પર વાહન નંબર દાખલ કરી ઇ-મેમો ભરી શકાશે
જિલ્લામાં સુરેન્દ્રનગર વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી અને જિલ્લાના અન્ય પો.સ્ટ`. વિસ્તારમાં VOC એપ્લીકેશન દ્વારા જે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવી રહેલ છે. આ ઇ-મેમો પોસ્ટમેન દ્વારા લગત વાહન માલીકના સરનામાં ઉપર મોકલવામાં આવે છે. ટ્રાફીકનાં નિયમનો ભંગ કરનારને મળેલ ઇ-મેમો દંડ ૯૦ દિવસમાં ભરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ-મેમો દંડ ૯૦ દિવસમાં ભરવામાં આવે છે. પરંતુ અમુક વાહન ચાલકો તેઓને મળેલ ઇ-મેમોનો દંડ ભરવા અંગે ગંભીરતા દાખવતા નથી. તેમજ અમુક વાહન ચાલકો વારંવાર ટ્રાફીકના નિયમ ભંગ કરતા તેઓને બે કે તેથી વધારે ઇ-મેમો મળવા છતા દંડ ભરાપાઈ કરવા અંગે ગંભીરતા લેતા નથી.આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતા નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા જણાવેલ છે કે જે લોકો ટ્રાફીકના નિયમ ભંગ કરી ઇ-મ` માનો દંડ ૯૦ દિવસમાં ભરતા નથી તે વા લોકો વિરુધ્ધ થઇ શકે છે કડક કાર્યવાહી જેમાં ઇ-મ મો ન ભરનારના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી ત મજ જે લોકો વારંવાર ટ્રાફીકના નિયમનો ભંગ કરે છે તેવા લોકોના વાહન ડીટે ઇન કરવાની કાર્યવાહી થઇ શકે છે. જેથી તમામ વાહન ચાલકોને ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે અને જે લોકોને ટ્રાફીકના નિયમ ભંગ બદલ ઇ-મેમો મળેલ છે તે ઇ-મેમાનો દંડ તાત્કાલીક ભરવા જણાવવામાં આવે છે.
જે લોકોને ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇ-મેમો મળે છે તે લોકો ઇ-મેમાનો દંડ નાયબ પોલીસ મહાનિરીક્ષકની, કચેરી ખાતે નેત્રમ ઓફીસ પર અથવા આપના નજીકના પો.સ્ટ’. ખાતે ભરી શકાશે અથવા ઓનલાઇન ઇ-મેમો ભરવા માટે https:// echallan. parivahan. gov. in વેબસાઇટ પર વાહન નંબર દાખલ કરી ઇ-મેમો ભરી શકાશે.
જો આપન આપવામાં આવેલ ઇ-મેમો દિન-૯૦ કરતા જૂનો હોય તો નાયબ પોલીસ મહાનિરીક્ષકની, કચેરી, જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે, "નેત્રમ" ઓફીસનો તાત્કાલીક સંપર્ક કરવો નાયબ પોલીસ મહાનિરીક્ષક
સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.