ધ્રાંગધ્રા તાલુકામાં પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

0
ધ્રાંગધ્રા, ઘોળી, કૈલાશનગર, ઘોળીવાવ ગામની પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક માટે  તા.૨૬ માર્ચ સુધીમાં અરજી ફોર્મ જમા કરવાનું રહેશે,  નિયત સમયમર્યાદા બાદ રજુ થયેલું ફોર્મ ધ્યાને લેવાશે નહિ
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકામાં કેન્દ્ર નંબર ૬૭- ધ્રાંગધ્રા પ્રાથમિક શાળા નં-૧, કેન્દ્ર નંબર ૪૫ - ધોળી પ્રાથમિક શાળા, કેન્દ્ર નંબર ૧૧૦ -  કૈલાશનગર પ્રાથમિક શાળા, કેન્દ્ર નંબર ૧૧૧ ઘોળીવાવ (કોંઢ) પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવામાં આવશે.
ધ્રાંગધ્રા મામલતદારશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ધ્રાંગધ્રા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૬.૦૩.૨૦૨૫ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-ધ્રાંગધ્રા ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે
અરજી ફોર્મમાં અરજદારે જરૂરી આધાર પુરાવા જેવા કે, અરજી ફોર્મની સાથે શાળા છોડયાના પ્રમાણપત્ર, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચુંટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના સર્ટીફીકેટની પ્રમાણીત નકલો સાથે રજુ કરવાની રહેશે. નિયત તારીખ બાદ રજુ થયેલું ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ.
અરજી કરવા માટે લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષ મુજબ જે – તે ગામના વ્યક્તિ અરજી કરી શકે છે. ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ. જે ગામમાં એસ.એસ.સી. પાસ ઉમેદવારન હોય ત્યાં ધોરણ – ૦૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવી છે. ઈન્ટરવ્યૂ અંગે તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top