સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણીના પરિણામ પણ આવી ગયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપને નગરપાલિકાની બહુમતી સાથે ૨૫ બેઠકો
જીતી હતી. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થાનગઢ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમ્નસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોતરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ત્યારે ઉલ્લેખનીય છે કે ભાજપના નગરપાલિકાના સભ્યો ગેરહાજર હતા છતા ૨૮ સભ્યો ધરાવતી થાન નગરપાલિકામાં ભાજપના ૨૫ સભ્યોમાંથી પ્રમુખ પોતાના જૂથના બનાવવા માટે ખેલ થયો હોય તેવું લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પ્રમુખ તરીકેની જાહેરાત થવાની હતી ત્યારે જીલ્લાનાં હાઈવે પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.!