સુરેન્દ્રનગર જિલ્લાના બાળકોના શિક્ષણ માટે આરટીઇ અંતર્ગત ફોર્મની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ કામગીરીમાં ૨૮-૨-૨૦૨૫ થી ૧૨-૦૩-૨૦૨૫ સમય ગાળા દરમ્યાન ઓનલાઇન ફોર્મ ભરાઇ રહયા હોવાથી હાલ અત્યાર સુધીમાં ૧૧૨૮ અરજી આવી હોવાનું સુત્રો જણાવી રહયા છે. ત્યારે રાજય સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણ મળી રહે તે અંતર્ગત રાજ્ય સરકારે ખાનગી શાળામાં ૨૫ ટકા બાળકોને આરટીઇ હેઠળ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ કામગીરીમાં અરજદારોને કોઇ મુશ્કેલી ન પડે માટે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા હેલ્પલાઇન સેન્ટર અને હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે.
આ પ્રવેશ પ્રક્રિયા https://rte.orpgujar at.com પર ઓનલાઇન ફોર્મ ભરવાની છે. ૩૧-૦૫-૨૦૧૯ પહેલા જન્મેલા બાળકો જ ધો ૧ નું આરટીઇ ફોર્મ ભરી શકશે. જેમાં વાત કરવામાં આવે તો અનાથ બાળક, સંભાળ સંરક્ષણ જરૂરીયાત વાળુ બાળક, બાલગૃહના બાળકો, સંભાળ સંરક્ષણ જરૂરીયાત વાળા, બાલગૃહના બાળકો, બાળમજૂર, દિવ્યાંગ બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો, માતાપિતાને સંતાનમાં એક માત્ર દીકરી જ હોય, રાજ્ય સરકારની આંગણવાડીમાં અભ્યાસ કરતા, બીપીએલ કુટુંબ બાળકો, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના વિચરતિ વિમુક્ત જાતિના બાળકોને રાજય સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવતી હોય છે. અપાશે. જયારે વધુમાં જિલ્લા શિક્ષણ સમિતિ કચેરી ખાતે ૧૧ લોકોની ટીમનો કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. અરજી કરનારની વિગતોની વેરીફાય કરવામાં આવશે.
આ પ્રવેશ પ્રક્રિયા https://rte.orpgujar at.com પર ઓનલાઇન ફોર્મ ભરવાની છે. ૩૧-૦૫-૨૦૧૯ પહેલા જન્મેલા બાળકો જ ધો ૧ નું આરટીઇ ફોર્મ ભરી શકશે. જેમાં વાત કરવામાં આવે તો અનાથ બાળક, સંભાળ સંરક્ષણ જરૂરીયાત વાળુ બાળક, બાલગૃહના બાળકો, સંભાળ સંરક્ષણ જરૂરીયાત વાળા, બાલગૃહના બાળકો, બાળમજૂર, દિવ્યાંગ બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો, માતાપિતાને સંતાનમાં એક માત્ર દીકરી જ હોય, રાજ્ય સરકારની આંગણવાડીમાં અભ્યાસ કરતા, બીપીએલ કુટુંબ બાળકો, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના વિચરતિ વિમુક્ત જાતિના બાળકોને રાજય સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવતી હોય છે. અપાશે. જયારે વધુમાં જિલ્લા શિક્ષણ સમિતિ કચેરી ખાતે ૧૧ લોકોની ટીમનો કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. અરજી કરનારની વિગતોની વેરીફાય કરવામાં આવશે.